Gujarati Books / ગુજરાતી પુસ્તકો
ગુજરાતીમાં વાંચવા માટે સારા પુસ્તકો ✨ Editors’ Must-Read List | નાસ્તિક પુસ્તકો | બુદ્ધિવાદ પુસ્તકો | તર્કશાસ્ત્ર પુસ્તકો | Rationalist / Atheist Books in Gujarati
Showing all 6 results
-
ભગવાન ભ્રમ – રિચાર્ડ ડોકિન્સ [ગુજરાતી અનુવાદ]
₹599.00 Add to cartભગવાન ભ્રમ – રિચાર્ડ ડોકિન્સ [ગુજરાતી અનુવાદ]
ભગવાન ભ્રમ
રિચાર્ડ ડોકિન્સ
આ પુસ્તક ‘ ધ ગોડ ડિલ્યુશન’ નો ગુજરાતી અનુવાદ છે
ભગવાન માત્ર એક ભ્રમ છે અને તે જ રીતે આપણે તેને સમજવો જોઈએ.‘ઘ ગોડ ડિલ્યુશન’ રિચર્ડ ડોકિન્સનુ પ્રતિષ્ઠિત અને સૌથી વધુ વેચાતું અંગ્રેજીમાં લખેલું પુસ્તક છે જગતભરમાં આ પુસ્તકનો અનુવાદ ઘણી બધી ભાષાઓમાં થયેલ છે. આ પુસ્તક ‘ ઘ ગોડ ડિલ્યુશન’ નો ગુજરાતી અનુવાદ છે.
પૃષ્ઠ 466 કિંમત રૂ599
₹599.00 -
સેપિયન્સ – માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ : યુવલ નોઆ હરારી
₹499.00 Add to cartસેપિયન્સ – માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ : યુવલ નોઆ હરારી
સેપિયન્સ – માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ
યુવલ નોઆ હરારી
1,00,000 વર્ષ પહેલાં પૃથ્વી પર અલગ-અલગ છ માનવ પ્રજાતિઓ રહેતી હતી….અને આજે માત્ર એક જ પ્રજાતિ રહી છે… અને તે છે. હોમો સેપિયન્સ એટલે કે ‘આપણે’.
જો તમે માનતા હો કે સ્કૂલ, કૉલેજ કે પૌરાણિક વાર્તાઓમાંથી તમે જે શીખ્યા છો તે જ સાચું છે, તો તમે એક મોટા ભ્રમમાં છો!
આ Global Bestseller પુસ્તક તમારી આંખો ખોલશે અને તમને શીખવશે કે… કેવી રીતે આપણે સાધારણ વાંદરાઓમાંથી પૃથ્વીના શાસક બની ગયા? પૃથ્વી ઉપર વર્ચસ્વની લડાઈમાં આપણે કેવી રીતે સફળ થયા? ખોરાક શોધવા માટે ભટકતા આપણા પૂર્વજો, નગરો અને રાજવંશોનું નિર્માણ કરવા માટે કેમ ભેગા થયા? આપણે ઈશ્વર, રાષ્ટ્ર અને માનવ અધિકારોમાં વિશ્વાસ કરવાનું કેવી રીતે શરૂ કર્યું? કેવી રીતે આપણે નિયમો, મૂલ્યો અને આદર્શોની રચના કરીને લોકોનાં મનનું પ્રોગ્રામિંગ કર્યું? આવનારાં હજારો વર્ષોમાં આપણી દુનિયા કેવી હશે?
આ માહિતીપ્રદ Global Bestseller પુસ્તક તમારી સદીઓ જૂની માન્યતાઓ અને વિચારો સામે પ્રશ્નાર્થ ઊભા કરી તમારા વિચારો, કર્મો અને શક્તિઓનો તમારા ઊજળા ભવિષ્ય માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની સાચી દિશા પૂરી પાડશે.
‘Sapiens’ in Gujarati
પૃષ્ઠ 466 કિંમત રૂ499
₹499.00 -
ભારત નું બંધારણ – ગુજરાતી અને અંગ્રેજી આવૃત્તિ
₹799.00 Add to cartભારત નું બંધારણ – ગુજરાતી અને અંગ્રેજી આવૃત્તિ
ભારત નું બંધારણ / ભારતનું સંવિધાન
ગુજરાતી અને અંગ્રેજી આવૃત્તિ
આપણું સંવિધાન તમારી માતૃભાષામાં વાંચો
તે ગુજરાતી વાચકો માટે પ્રસ્તુત છે જેઓ આપણું બંધારણ તેમની માતૃભાષામાં વાંચવાનું પસંદ કરે છે.
નવેમ્બર 2021 સુધી અપડેટ
Constitution of Gujarati / Samvidhan Gujaratiપૃષ્ઠ 704 કિંમત રૂ799
₹799.00 -
રિચ ડેડ પુઅર ડેડ
₹399.00 Add to cartરિચ ડેડ પુઅર ડેડ
રિચ ડેડ પુઅર ડેડ
રોબર્ટ ટી. કિયોસાકી
પાછલા ૨૦ વર્ષથી પર્સનલ ફાયનાન્સને લગતા પુસ્તકોમાં નં. ૧ બેસ્ટ સેલર તરીકે રહેલા ‘રિચ ડેડ પુઅર ડેડ’ પુસ્તકની મદદથી ઘણા લોકો પોતાના આર્થિક જીવનનું સુકાન પોતાના હાથમાં લઈ શક્યા છે અને તેને સરળતાથી આગળ ધપાવી શક્યા છે.
રોબર્ટ ટી. કિયોસાકી એક અબજોપતિ રોકાણકાર, ઉદ્યોગ સાહસિક, તાલીમ આપનાર, વક્તા અને ‘રિચ ડેડ પુઅર ડેડ’ સીરીઝના પુસ્તકોના બેસ્ટસેલર લેખક છે. ૪૭ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા પછી તેઓએ કેશફ્લો ટેકનોલોજીસ નામની કંપની ભાગીદારીમાં સ્થાપી જે હાલમાં દુનિયાના અનેક દેશોના લોકોને આર્થિક રીતે સ્વતંત્ર બનવાની તાલીમ આપી રહી છે. રોબર્ટે ૧૬ જેટલાં પુસ્તકો લખ્યા છે જેની અઢી કરોડથી વધારે નકલો છપાઈ ચૂકી છે. રોબર્ટ વિષે વધુ માહિતી માટે જુઓ
ગુજરાઈમાં આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર
પૃષ્ઠ 320 કિંમત રૂ399
₹399.00 -
ઈકિગાઈ
₹349.00 Add to cartઈકિગાઈ
ઈકિગાઈ
હેક્ટર ગાર્સિયા અને ફ્રાન્સેસ્ક મિરાલેસ
લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય
“લાંબું જીવન જીવવું છે ? સત ત વ્યસ્ત રહો. ઈકિગાઈ એટલે કશું જ ન કરવાની કળા, તો ઈકિગાઈ એટલે ધ્યાનસ્થ થઈ આનંદપૂર્વક કશુંક કરતા રહેવાની કળા.” – ન્યૂ યોક પોસ્ટ
“ઈકિગાઈ એ રીતે લોકોને પોતાનું જીવન સરળ બનાવવાનું કહે છે કે જેમાં આનંદ આવે એ કામ જ કરો… જે રીતે ‘The Life Changing Magic of Tyding Up” ‘માં એ વાત પર ભાર મૂકાયો છે કે “જેને કાયમ રાખવાનું છે એને પસંદ કરો, નહીં કે જેનાથી મુક્તિ પામવાની છે’, એવી જ રીતે આ પુસ્તકમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે વૃદ્ધ ન થવું એટલે સતત કામ કરતા રહેવું, હસતા અને સક્રિય રહેવું અને આસપાસના લોકોને મળતા રહેવું.” – કોનમારી ન્યૂઝલેટર
ભાવાનુવાદ : ચિરાગ ઠક્કર ‘જય’
જાપાનના ઓકિનાવામાં 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા શા માટે સૌથી વધારે છે? તેમના લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય શું છે? તેમાં ‘ઇકિગાઇ’નો શું ફાળો છે? ‘ઇકિગાઇ’ એટલે શું? કઇ રીતે તમે તમારું ‘ઇકિગાઇ’ પામીને લાંબુ, સુખી અને સાર્થક જીવન જીવી શકશો? એ બધું જ તમને વાંચવા મળશે આ પુસ્તક ‘ઇકિગાઇ’માં.
ગુજરાઈમાં આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલરપૃષ્ઠ 208 કિંમત રૂ349
₹349.00 -
પ્રારંભિક ભારતીય
₹350.00 Add to cartપ્રારંભિક ભારતીય
પ્રારંભિક ભારતીય
ટોની જૉસેફ
આપણે કોણ છીએ અને આપણે અહીં કઈ રીતે આવ્યા, આપણા અસાધારણ ભૂતકાળનું રોમાંચક વર્ણન સાથે માનવ અવશેષોના પ્રાચીન ડીએનએના અભ્યાસના ક્ષેત્રમાં થયેલ અદ્યતન ઊંડાણપૂર્વક સંશોધનો આ પુસ્તકમાં પ્રસ્તુત થયા છે. આર્યો બહારથી આવ્યા હોવાના મુદ્દે ઘનિષ્ઠ તપાસ સાથે લેખક જોસેફે પુરાતત્ત્વ, ભાષાવિજ્ઞાન, આનુવંશિક અને સાહિત્ય જેવા વિવિધ આંકડાઓનું સંયોજન કર્યું છે. આર્યો બાબતે ચર્ચા રજૂ કરવાની સંભવત: એક શ્રેષ્ઠ રીત પુસ્તકમાં જણાવેલી છે. હંમેશાં બૌદ્ધિક સામગ્રીની અપેક્ષા રાખનાર ટોની જોસેફ આપણને આતુરતાની આનંદમય યાત્રા ઉપર લઈ જાય છે અને દર્શાવે છે કે, આપણા પૂર્વજો અહીં કઈ રીતે પહોંચ્યા હતા. ભારતમાં માનવોના અસ્તિત્વ બાબતની કુશળ અને પૂર્વગ્રહમુક્ત રચના, જેમાં પુરાતત્ત્વ, પ્રાચીન અને આધુનિક ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, ભૂગોળ અને આનુવંશિક પુરાવાઓનો એક ખાસ રુચિ સાથે ઉપયોગ કરવામાં આવેલ છે લેખક જોસેફ કુશળતાપૂર્વક અને પ્રતિભાશાળી રીતે દક્ષિણ એશિયાની પ્રાચીન સમસ્યાઓના ચોક્કસ ઉકેલ દર્શાવતી આનુવંશિક સંશોધનનો સાર આ પુસ્તકનો વિષય છે. ટોની જોસેફનું પુસ્તક પ્રાચીન ભારતીય ઇતિહાસના પ્રાથમિક તબક્કાઓ વિશિષ્ટ રૂપે સરળતાથી ટૂંકસાર આપણને ઉપલબ્ધ કરાવે છે, તેવા પ્રારંભિક તબક્કાઓ, જેની શરૂઆત આફ્રિકાના હાલના માનવોથી લઈને વેદોના યુગ સુધી ચાલુ રહી હતી. તેઓ વૈજ્ઞાનિક ચકાસણીનાં વિવિધ ક્ષેત્રો-પુરાતત્ત્વવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન, પ્રાચીન ગ્રંથ અને પ્રાચીન જિન્સ (ડીએનએ)ના ક્ષેત્રમાં હાલમાં જ થયેલ સંશોધનોને સામેલ કરવામાં આવેલ છે. આ ડીએનએનો અભ્યાસ ફક્ત ભારતમાં જ નહીં. પણ, યુરોપ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના પ્રાચીન ઇતિહાસમાં પણ ક્રાંતિ લાવી રહ્યા છે. તે જ રીતે જોસેફ કથિત (ભારતીય) આર્યોના ઉદગમ અને પ્રાચીન ભારતમાં તેમના વસવાટ બાબતે પૂર્ણવિરામ મૂકી દે છે, જે મૂળભૂત રીતે, ખાસ કરીને પાછલાં ચાલીસ વર્ષથી રાજનીતિક ધોરણે બહુ ગાજેલો સવાલ છે.
લેખક વિશે
બિઝનેસવર્લ્ડના પૂર્વ સંપાદક ટોની જૉસેફ અનેક અન્ય અખબારો અને સામાયિકોમાં કૉલમ લખતા રહ્યા છે. તેઓએ હિન્દુસ્તાનના પ્રાગૈતિહાસિક વિષય પર અનેક પ્રભાવશાળી લેખો લખ્યા છે.
પૃષ્ઠો 264 કિંમત રૂ 360
₹350.00